Friday, 8 March 2019

હવેના યુધ્ધો જમીન ઉપર ઓછા અને આકાશમાં વધુ લડાશે


હવેના યુધ્ધો જમીન ઉપર ઓછા અને આકાશમાં વધુ લડાશે
કલ્પના કરી જૂઓ કે દૂર દૂર સુધી કોઈ વનસ્પતિ, ફૂલ, પક્ષી, પશુ કે જીવન ન દેખાય તો ? પશુ, પક્ષી તો દૂરની વાત કોઈ માણસ પણ ન દેખાય ? દેખાય તો બસ માત્ર ધુળની ડમરીઓ, રાખના ઢગલા અને લોહી નિતરતી લાશો. આમંજર છે ત્રીજા વિશ્વયુધ્ધના અંજામનો. યાદ કરો વર્ષ ૧૯૧૪થી ૧૯૧૮ સુધી ચાલેલું પ્રથમ વિશ્વયુદ્ધ. જેમાં એક કરોડ સત્તર લાખ નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. વર્ષ ૧૯૩૯થી ૧૯૪૫ સુધી ચાલેલા દ્વિતીય વિશ્વયુદ્ધમાં છ કરોડ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આજે દક્ષિણ ચીન સમુદ્રી વિસ્તારના ડોન બનવાની હોડ ચાલી છે. હિન્દુસ્તાનથી માત્ર ત્રણ હજાર કિલોમીટર દૂર આવેલા દક્ષિણ ચીન સમુદ્રી વિસ્તારમાં ચીનનો પારો ચડતો જાય છે. અહીં અમેરિકાના યુદ્ધ જહાજો કે યુએસના વિશાળ સમુદ્રી જહાજોની હાજરી ડ્રેગોન ચીન સાંખી નથી શકતું. આ વિસ્તારમાં ભુલથી પણ વિશ્વના દબંગ અમેરિકાનું કોઈ જહાજ પ્રવેશે તો ડ્રેગોન ડોળા કાઢી એને ખદેડી નાખે છે.
દુનિયાના માથે ત્રીજું વિશ્વયુદ્ધ દસ્તક દઇ રહ્યું હોય એવી આ પરિસ્થિતિ છે. ભગવાન ન કરે કે, ત્રીજું વિશ્વયુદ્ધ થાય. પણ ત્રીજુ વિશ્વયુધ્ધ થાય તો શું ? હવેના વિશ્વયુદ્ધમાં પરમાણુ બોમ્બની વર્ષા થશે. આખા રાષ્ટ્રોના રાષ્ટ્રો તબાહ થઈ જશે. માણસનું નામો નિશાન વિશ્વમાંથી સમાપ્ત થઈ જશે. શ્રૃષ્ટિનો સર્વનાશ સર્જાશે. બધુ જ ખતમ થઈ જશે અને રાખના ઢગલાઓમાં ચિત્કારો અને ચીસો પણ ઢબુરાઈ જશે. આજે વિશ્વમાં ૧૫૪૯૩ જેટલા પરમાણુ બોંબ છે. આ બોંબ મિસાઇલોની પીઠ ઉપર સવારી કરીને ૧૫૦૦૦ કિલોમીટર સુધી વાર કરી શકે છે. એમાંથી જો અડધા પરમાણુ બોંબ પણ ઉપયોગમાં લેવાય તો આખી દુનિયા જ સમાપ્ત થઈ જાય. અને જો દુનિયા જ સમાપ્ત થઇ જાય તો પછી મારૂ અને તારૂ શું ? રશિયા પાસે ૭૩૦૦, અમેરિકા પાસે ૭૧૦૦, ચીન પાસે ૨૬૦, પાકિસ્તાન પાસે ૧૨૦, ભારત પાસે ૧૧૦ પરમાણુ બોંબનો ઝકીરો છે.
હવેના યુધ્ધો જમીન ઉપર ઓછા અને આકાશમાં વધુ લડાશે. જે દેશ પાસે જેટલી વધુ મિસાઈલ અને લડાકુ વિમાનો હશે એ દેશનો દબદબો રહેશે. આમ પણ અત્યાર સુધીના લડાયેલા નાના-મોટા તમામ યુદ્ધોમાં વાયુદળની ચાવીરૂપ ભૂમિકા રહી હોવાનું નકારી ન શકાય. બીજા વિશ્વયુદ્ધ વેળા બર્મામાં ઘુસવા માગતી જેપનીઝ આર્મીને થાઈલેન્ડમાં ઈન્ડિયન એરફોર્સે ધુળ ચાટતી કરી દીધી હતી. ૧૯૭૧માં બાંગ્લાદેશ લીબરેશન વખતે પણ ઈન્ડિયન એર ફોર્સની મહત્વપૂર્ણ ભૂમિકા ભૂલાય એવી નથી.
પાંડવ અને કૌરવો કુરુક્ષેત્રના સમરાંગણમાં સામ સામે યુદ્ધ માટે તૈયાર ઊભા હતા ત્યારે પોતાના ભાંડુઓને કેમ કરીને મારું એવા વિચારથી આત્મવિશ્વાસ ગુમાવીને ઊભેલા અર્જુનને શ્રીકૃષ્ણે ભયમાંથી ઉગારતા કહ્યું હતું કે, ખોટા ખયાલો છોડી અધર્મ ઉપર ધર્મના વિજય માટે શસ્ત્રો ઊઠાવી વિજયના યશ સાથે આકાશમાં ઊંચે ઊડવાની તૈયારી કર. ભારતીય વાયુદળને પણ આજે આ સંદેશ બિલકુલ ફીટ બેસે છે. આમ પણ ઈન્ડિયન એર ફોર્સનું ટચ ધ સ્કાય વીથ ગ્લોરીસુત્ર ભાગવત ગીતાનો જ અંશ છે.
હિન્દુસ્તાનના પુલવામા ઉપર જૈશ--મુહમ્મદના નાપાક આતંકવાદી હુમલા સામે હિન્દુસ્તાની વાયુદળે કરેલી જવાબી કાર્યવાહીની ગુંજ પાકિસ્તાનના ખૂણે ખૂણામાં પડી છે. નાલાયકીને નસિહત ધર્મનું પાલન કહેવાય. આ લખાઈ રહ્યું છે ત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે. યુધ્ધ ક્યારેય ઇચ્છનીય નથી પણ આજની નાજુક પરિસ્થિતિમાં જો યુધ્ધ જાહેર થાય તો હિન્દુસ્તાન અને પાકિસ્તાનની આકાશી તાકાતનો મુકાબલો થશે. જો કે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની લશ્કરી અને આકાશી તાકાતની તુલના જ હિન્દુસ્તાનની લશ્કરી શક્તિઓની અવહેલના કરવા બરાબર છે.
હિન્દુસ્તાન પાકની ૩૦૦૦ કિલોમીટર લાંબી સરહદી સીમા છે. રોજ રાત્રે હિન્દુસ્તાન-પાક સીમાઓ ઉપર દોઢ લાખ ફ્લડ લાઈટ્સ ઓન થઈ જતી હોય છે. નાની સરખી હિલચાલની પણ બન્ને દેશના જવાનો પાક્કી ખબર રાખતા હોય છે. હિન્દુસ્તાન પાસે ૧૭૦૦ જેટલા લડાકુ વિમાનો છે. જ્યારે પાકિસ્તાન પાસે ૯૬૦ લડાકુ વિમાનો છે. હિન્દુસ્તાન ૨૯૨ રોકેટ લોંચર ધરાવે છે જ્યારે પાક પાસે ૧૩૪ રોકેટ લોંચર છે.
દુશ્મન દેશના છક્કા છોડાવવા હવેના યુદ્ધોમાં પોતાના દેશમાં જ બેઠા બેઠા મિસાઈલ પાવરનો ભરપુર ઉપયોગ થવાનો છે. હિન્દુસ્તાનની આકાશી તાકાત અમેરિકા, રશિયા અને ચીન પછી આવતી વિશ્વમાં ચોથા ક્રમની શક્તિશાળી સેના છે. આજે હિન્દુસ્તાનના મિસાઈલ પાવરની સમસ્ત વિશ્વ બાકાયદા ઈજ્જતપૂર્વક નોંધ લે છે. હિન્દુસ્તાનના મિસાઈલ બેડામાં સૌથી ઉપર નામ આવે બ્રહ્મોસ મિસાઈલનું. નવેમ્બર તા. ૨૨, ૨૦૧૭માં બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું. જમીન, જળ અને આકાશ ત્રણેય જગા ઉપરથી આ મિસાઇલ સચોટ હુમલો કરી શકે છે. આ પ્રકારની સુપર સોનિક ક્રુઝ મિસાઈલ ડેવલપ કરનારા પ્રથમ દેશ તરીકે ભારતે વિશ્વને ચોંકાવી દીધુ છે. રશિયા સાથે સંયુક્ત રીતે બનાવેલી બ્રહ્મોસનું નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કોના નદીના નામ ઉપરથી આપવામાં આવ્યું છે. બ્રહ્મોસ જમીનથી માત્ર ૧૦ કિલોમીટર ઉપર ઊડીને ૨૦૦થી ૩૦૦ કિલોગ્રામ હાઈ એક્સ્પ્લોઝીવ લઈને ૩૦૦થી ૫૦૦ કિલોમીટર રેન્જમાં દુશ્મન દેશના ફુરચા ઉડાવવાની તાકાત ધરાવે છે. બ્રહ્મોસ મિસાઇલ ન્યુક્લિયર એક્સપ્લોઝન પણ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. બ્રહ્મોસ રડારમાં પકડી શકાતી ન હોઈ સચોટ અને ઘાતક મિસાઈલ છે.
આ ઉપરાંત સરફેસ ટુ સરફેસ શોર્ટ રેન્જ વાર કરતી પૃથ્વી-૧ મિસાઈલ ૪૦થી ૧૫૦ કિલોમીટર સુધી ૫૦૦થી ૧૦૦૦ કિલોગ્રામ એક્સ્પ્લોઝીવ વરસાવી શકે છે. જ્યારે પૃથ્વી-૨ ૨૫૦ થી ૩૫૦ કિલોમીટર અને પૃથ્વી-૩ ૩૫૦થી ૬૦૦ કિલોમીટર રેન્જ ઉપર આગ ઓકી દુશ્મન દેશના છક્કા છોડાવી દે છે. ભારતીય નૌકા દળના ઉપયોગ માટે ૩૫૦થી ૭૫૦ કિલોમીટરની રેન્જમાં દુશ્મનો ઉપર તુટી પડતી ધનુષ મિસાઈલ ભારતના નેવી બેડાની શાન છે. ધનુષ ન્યુક્લિયલ હાઈ એક્સ્પોઝીંગ પણ વરસાવી શકે છે આની સાથો સાથ ૧૨૫૦ કિલોમીટર સુધી વાર કરતી અગ્ની-, ૩૦૦૦ કિલોમીટર સુધી મારક ક્ષમતાવાળા અગ્ની-, ૫૦૦૦ કિલોમીટર સુધી અગ્ની-, ૪૦૦૦ કિલોમીટર સુધી અગ્ની-, ૮૦૦૦ કિલોમીટર સુધી અગ્ની-૫ અને ૧૪૦૦૦ કિલોમીટર સુધી પહોંચી શકતી અગ્ની-૬ મિલાઈલો પણ ભારત પાસે છે. ન્યુક્લિઅર બોમ્બ વહન ક્ષમતાવાળી અગ્ની મિસાઈલની રેન્જમાં પાકિસ્તાન આખું આવી જાય  છે. આખું ચીન પણ અગ્નીની રેંજમાં આવી જાય છે.
સાગરિકા નામની અન્ય એક ન્યુક્લિઅર કેપેબલ લોંગ રેન્જ મિસાઈલ ભારતીય શસ્ત્રાગારમાં છે. આ ઉપરાંત ૯૦૦૦ કિલોમીટર પ્રતિકલાકની રફતારથી હુમલો કરતી શૌર્ય મિસાઈલ અને સરફેસ ટુ સરફેસ ગાઈડેડ શોર્ટ રેન્જ પ્રહાર કરી શકે એવી પ્રહાર મિસાઈલ પણ હિન્દુસ્તાનના ભાથામાં છે. ૧૫૦૦ કિલોમીટર સુધી હુમલો કરી શકે એવી નિર્ભય અને થર્ડ જનરેશન એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ નાગ પણ હિન્દુસ્તાનના શસ્ત્રભંડારમાં છે. હિન્દુસ્તાન પાસે અલ્ટ્રા મોર્ડન એસ-૪૦૦ એંટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ દુશ્મનોના લડાકુ વિમાન, મિસાઇલ, ડ્રોન હવામાં ઉડાડી નાખવા માટે સક્ષમ છે. નોંધનીય છે કે પાકિસ્તાન પાસે આ પ્રકારની સિસ્ટમ છે ખરી પણ બે દાયકા પુરાણી છે. સ્વાભાવિક રીતે જ ક્ષમતાની તુલનામાં પણ અત્યંત પછાત છે.
યુદ્ધ એ કોઈપણ સમસ્યાનું સમાધાન ન હોઈ શકે. પણ સાથે સાથે એ પણ એટલું જ સત્ય છે કે જ્યારે આસુરી માનસિકતાનો પ્રભાવ વધે ત્યારે તેને નસિહત આપવાની હિમાકત સ્વયં ભગવાને કરી છે. ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં કહ્યું છે કે, કેવળ ભાગ્યશાળી યોદ્ધાને જ એવું યુદ્ધ લડવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે જે સ્વર્ગના દરવાજા સમાન છે. દરેક દેશ પોતાને બીજા દેશ કરતાં વધુ સારો માને છે. આમાંથી જ દેશભક્તિ જન્મે છે અને આમાંથી જ યુદ્ધ જન્મતું હોય છે. સત્ય તો એ છે કે, જીવન એક ફુલ છે અને પ્રેમ એનું મધ છે. જ્યારે પોતાના કદથી પડછાયો અને હેસિયતથી મોટી વાતો થાય ત્યારે સમજી લેવું પડે કે સુરજનો અસ્ત થવાનો સમય આવી ગયો છે.

ધબકાર :
‘દુશ્મનોને (આતંકવાદીઓને) માફ કરવાનું કામ ઈશ્વરનું છે પણ એમને ઈશ્વર પાસે મોકલવાનું કામ અમારું છે.’
                                                – ભારતીય સુરક્ષા દળ




No comments:

Post a Comment