પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Sunday, 1 July 2018

જેનાથી બ્રિટીશર્સ ફફડતા એ ‘ઠગ્સ’ દિવાળીમાં સિલ્વર સ્ક્રીન ઉપર આતશબાજી કરશે


જેનાથી બ્રિટીશર્સ ફફડતા એ ‘ઠગ્સ’ દિવાળીમાં સિલ્વર સ્ક્રીન ઉપર આતશબાજી કરશે


કન્ફેશન્સ ઓફ ઠગ૧૯મી સદીનું બેસ્ટ સેલર રહેલું એક જબરજસ્ત પુસ્તક. આ પુસ્તકનો પ્લોટ બ્રિટીશ ઇન્ડિયન ઠગ ઉપર આધારિત હતો. ફિલીપ મેડો ટેયલરે ૧૮૩૯માં લખેલું આ હકીકત આધારિત પુસ્તક ૧૮૭૩માં પુનઃમુદ્રીત થયું હતું. ઇંગ્લેન્ડના લીવરપુલમાં જન્મેલા ફિલીપ ટેયલર ૧૫ વર્ષના થયા ત્યારે હિન્દુસ્તાનમાં આવી ગયેલા અને બોમ્બે મર્ચન્ટમાં ક્લાર્કની નોકરીમાં જોડાઈ ગયેલા. દરમિયાનમાં ટેયલરે કાયદા, ભુસ્તર વિજ્ઞાન અને પુરાતત્વિય બાબતો વિશે અભ્યાસ કર્યો. ટેયલર ખૂબ ઝડપથી ભુસ્તર બાબતોના નિષ્ણાત તરીકે ઊભરી આવ્યા. કન્ફેકશન્સ ઓફ ઠગ નોવેલમાં આમિર અલી નામના પ્રસ્તુન પઢાણનું એક કેરેકટર છે. એની આસપાસ વાર્તા ગુંથાય છે. આમિરના પિતા ઇસ્માઈલ પણ નવલકથાનુ મહત્ત્વનુ પાત્ર છે. આ ઉપરાંત બદ્રીનાથ, પીર ખાન, ગણેશા જેવા ભારતીય પાત્રોથી નવલકથાને નિખાર આપવામાં આવ્યો છે. ટેયલરે ભારતમાં વિતાવેલી સુદીર્ઘ યુવાની દરમિયાન તેણે જોયેલી અને અનુભવેલી વાતોનો અદભૂત નિચોડ નવલકથામાં જોવા મળે છે.
ટેયલરની નોવેલ કન્ફેકશન્સ ઓફ ઠગઉપરથી ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમેગા મૂવીનું પ્લાનીંગ યશરાજ પ્રોડકશન હાઉસે કર્યું છે. યશરાજ ફિલ્મ્સનો ઇતિહાસ જાજરમાન છે. ૧૯૭૦માં સુપર સ્ટાર રાજેશ ખન્નાની દાગફિલ્મ યશરાજના બેનરમાં રીલિઝ થયેલી પછી ૧૯૭૩માં કભી કભીઅને એ પછી તો ઘણી બ્લોક બસ્ટર યશરાજ બેનર હેઠળ રજૂ થઈ. લેખક, ડાયરેકટર વિજય ક્રિશ્નન આચાર્યની આ એકશન પેક ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મમાં બે મિસ્ટર પરફેક્સનિસ્ટ પહેલીવાર એક સાથે સીલ્વર સ્ક્રીન શેર કરશે. જી હા, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને બ્લોક બસ્ટર કિંગ આમિર ખાનને વિજય ક્રિશ્નન ડાયરેક્ટ કરી રહ્યા છે. પહેલા આ ફિલ્મનું નામ ઠગ્સવિચારાયેલું. પછી એને સંપૂર્ણ અર્થસભર રીતે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનતરીકે રજૂ કરવાનું પ્રોડકશન હાઉસને વધુ યોગ્ય લાગ્યું.
ફિલ્મમાં બે ફિમેલ કેરેકટરમાં ચાર્મિંગ કેટરીના કૈફ અને લવલી ફાતિમા શેખ છે. ફિલ્મમાં ફાતિમાની સ્ક્રીન પ્રેઝન્સ કેટરીના કરતાં વધારે છે. આ એ જ ફાતિમા કે જેણે વાળ કપાવી તેની ડેબ્યુ ફિલ્મ દંગલમાં મેદાન માર્યું હતું. દંગલ ફિલ્મે વિશ્વભરમાંથી રૂ. ૨૦૦૦ કરોડથી વધુની અધધ કમાણી કરી છે. બાહુબલી ફિલ્મે રૂ. ૧૦૦૦ કરોડની કમાણી કરી છે. આ બે આંકડા ઉપરથી દંગલની સફળતાનો ખ્યાલ આવશે.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાનરૂ.૨૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામી રહી છે. આ ફિલ્મ પાછળ આમિરખાન ખાસ્સો પરિશ્રમ કરી રહ્યો છે. જો કે આમિર એની દરેક ફિલ્મ માટે તલસ્પર્શી રીસર્ચ અને સખત પરિશ્રમ કરવા માટે જાણીતો છે. આમિરે અલગ અલગ શેડના કેરેકટર પ્લે કરી એમાં પ્રાણ પૂર્યો છે. થ્રી ઇડિયટમાં સ્ટુડન્ટનુ કેરેક્ટર, દંગલમાં રેસલર, તારે ઝમી પરમાં શિક્ષક, પીકેમાં એલિયન જેવા અલગ અલગ કેરેકટર આમિરે બખુબી નિભાવ્યા છે. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં આમિરે સાવ અલગ જ કિરદાર ભજવ્યું છે.
જેક સ્પેરોની જેમ સમુદ્રી ડાકુની ભૂમિકા ફિલ્મમાં આમિરની છે. દાઢી, વાળ અને મુછ વધારી પંજાબી લુક આમિરે બનાવ્યો છે. પેરેટ્સ ઓફ કેરેબિયન જેવા સમુદ્રી લુટારાઓના દીલધડક સીન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની જાન હશે. આ ફિલ્મની એકશન ડાયરેકટર ટીમ, વિઝ્યુઅલ ઈફેક્ટ ટીમ, ટેકનિકલ સ્ટાફ વગેરે હોલીવુડમાંથી એપોઈન્ટ કરવામાં આવ્યા છે. ૧૮મા સૈકામાં ઉપયોગમાં લેવાયેલા બે સમુદ્રી જહાજનો ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે ફિલ્મનું મહદઅંશે શુટીંગ રાજસ્થાનની આસપાસના લોકેશન અને ત્યાના વૈભવી મહેલો અને કિલ્લાઓમાં થયું છે. થોડો મહત્વનો ભાગ થાઈલેન્ડમાં પણ શુટ થયો છે.
એવું કહે છે કે, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન સાજીદ આમિર અલીના જીવન ઉપર આધારિત ઐતિહાસિક ફિલ્મ છે. આઝાદી પહેલાના સમયમાં ભારતના કેટલાક વીર ક્રાંતિકારીઓ બ્રિટીશ ખજાનો લૂંટી લેતા. પછી  અંગ્રેજોને ઉડાવી દેતા હતા. અંગ્રેજોની આ લુંટારૂઓથી રીતસર ફાટતી હતી. અંગ્રેજો આ દેશભક્ત લૂંટારૂઓને ઠગ્સકહીને સંબોધતા. આખા વિશ્વમાં આદેશભક્ત ક્રાંતિકારીઓને ઠગ્સ કહીને ધોળીયાઓએ બદનામ કર્યા હતા પણ એમની દિલેરી અને જવામર્દ દેશભક્તિને પણ દુનિયાએ સલામ કરી. અંગ્રેજોએ ઠગ્સને પકડવા ખાસ એક પોલીસ દસ્તો તૈયાર કરાવ્યો હતો. ભારતની આઝાદીમાં વીર ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનો જબરજસ્ત ફાળો રહ્યો છે. જોકે કમનસિબી એટલી રહી કે આ શુરવીર ક્રાંતિકારીઓની ઓળખ ઇતિહાસના પાને ઠગ્સતરીકેની રહી.
વિજય ક્રિશ્નન આચાર્યએ ફિલ્મના લીડ રોલ માટે પહેલા રૂત્વિક રોશનને કાસ્ટ કર્યો હતો. રૂત્વિકની હોમ પ્રોડક્શનની ડેટ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનસાથે ક્લેશ થતા તેણે આ ફિલ્મ છોડી દીધી. એની જગાએ મિસ્ટર પરફેક્શનિસ્ટ મેદાનમાં આવ્યા છે. આ ફિલ્મથી આમિરખાન રૂ. ૭૦૦ કરોડ કમાય એવી સંભાવનાઓ જોવાઈ રહી છે. ફિલ્મનો ૭૦ ટકા નફામાં હિસ્સો આમિરે માગ્યો છે. પ્રોડકશન હાઉસ ૩૦ ટકામાં  કામ કરવા બિલકુલ રેડી પણ છે. આ ફિલ્મ રૂ. ૧૦૦૦ કરોડની ક્લબમાં આસાનીથી આવવાની છે. એટલે ૭૦ ટકા લેખે આમિરખાનના રૂ. ૭૦૦ કરોડ પાક્કા. ફિલ્મની કમાણી જો રૂ. ૧૦૦૦ કરોડ વટાવે તો... જો કે આ તો ‘ જો અને તો’ની પરિભાષા છે.
આમિરની અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની બચપનથી એક ખ્વાઇશ હતી. આમિરે એક ટ્વીટ કરીને કન્ફેસ કર્યું છે કે, ‘શ્રી અમિતાભ બચ્ચનજી સાથે કામ કરવાની મારી દિલની તમન્ના પૂરી થવા જઈ રહી છે. મારા આખા જીવનમાં મેં આ ક્ષણ માટે બહુ પ્રતિક્ષા કરી છે. આમિરે ટ્વીટમાં અમિતજી સાથે કામ કરવાનો અવસર આપવા માટે આદિત્ય ચોપડાનો આભાર માન્યો. ફિલ્મમાં આમિરખાન અમિતાભ બચ્ચન ઉપરાંત જેકી શ્રોફ, શશાંક અરોરા, કેટરીના કૈફ અને ફાતિમા મુખ્ય કેરેકટર છે. સત્યદેવ કંચરણા, મહમ્મદ જીશન અયુબ અને કમલેશ સાવંત સાઈડ રોલમાં છે. ફિલ્મનું પોસ્ટર લોંચ થઈ ગયું છે. આ યશરાજ બેનરની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. સમાચાર છે કે, સલમાન અને શાહરૂખ પણ ફિલ્મમાં કેમિયો કરવાના છે. એટલે ત્રણ ખાન એક જ ફિલ્મમમાં હોય એવું પણ પહેલી વાર બનશે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાને પેટ્રોઈટીઝમના અસરકારક ઐતિહાસિક વિષય, ત્રણ ખાન તથા બે પરફેક્શનિષ્ટ એમ ત્રણ મજબૂત પાસાથી રીલીઝ પહેલા જબરજસ્ત હાઈપ ક્રિએટ કરી રહી છે. દિવાળીમાં રીલિઝ થવા જઈ રહેલી ઠગ્સ ઓફ હિન્દુસ્તાનપાસે બહુ મોટી આશા છે અને સાથે ઐતિહાસિક પાસાની નિષ્ઠાપૂર્વકની વફાદારી પણ અપેક્ષિત છે.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની વાત નિકળે ત્યારે આ દેશભક્ત વીરો માટે માથુ ગર્વથી ઉચુ થઇ જાય. શરીરમાં રક્તની ઉષ્ણતા વધી જાય. ભારતના ક્રાતિકારીઓની હિંમત અને જવામર્દીનો જેને ખ્યાલ છે અને અહેસાસ છે એમણે ઇતિહાસના પાને ઠગ્સ તરીકે ચિતરાયેલા ભારતના જવામર્દ ક્રાંતિકારી ઠગ્સની સાચી ઓળખનો ફક્ર છે. આ ક્રાંતિકારી ઠગ્સના આત્મા જો ક્યારેક ભટાકાઇ જાય અને એમની વિષે પુછવામાં આવે તો દમામથી ચોક્કસ આ રીતે પોતાની ઓળખાણ આપે.
જબ કોઇ પુછે મેરે બારે મે,
તો મેરી એક પહેચાન લિખ દેના,
ઉઠાના મેરા ટ્રેગર ઔર ઉસસે,
છાતી મે હિન્દુસ્તાન લિખ દેના,
કોઇ પુછે વો પાગલ થા કોન,
ઔર ઇન્કલાબ કા ગુલામ લિખ દેના,
અભી ભી જો બચા હો લહુ જિસ્મ મે મેરે,
તો ઉસે નિકાલ જમી પે ફેકના,
ઔર ઉસ સે ‘ મા તુજે સલામ ‘ લિખ દેના...



       




No comments:

Post a Comment